ચીનના સમર્થક ઓલીએ ભારતીય વિસ્તારો પર દાવો કરતા ભારત-નેપાળ સરહદ વિવાદ ફરી ગરમાયો છે. નેપાળના વડાપ્રધાન બનતાની સાથે જ ઓલીએ કહ્યું કે તેમની સરકાર આંતરરાષ્ટ્રીય સીમાઓ પર અડગ છે.નવા વડાપ્રધાન કેપી શમર્િ ઓલીએ લિમ્પિયાધુરા, લિપુલેખ, કાલાપાની સહિતના મહાકાલી નદીના પૂર્વ વિસ્તારને પોતાનો હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારત-નેપાળ સરહદ વિવાદ રાજદ્વારી તંત્ર દ્વારા ઉકેલવામાં આવશે. ઓલીએ કહ્યું કે કાઠમંડુ તેની આંતરરાષ્ટ્રીય સીમાઓ અંગે સ્પષ્ટ અને મક્કમ છે.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિશ્વાસ મત જીત્યાના એક દિવસ પછી, કેપી શમર્િ ઓલી સાંસદોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે સરકાર એ હકીકત પર મક્કમ અને સ્પષ્ટ છે કે ’1816ની સુગૌલી સંધિ અનુસાર, લિમ્પિયાધુરા, કાલાપાની, લિપુલેખ અને મહાકાલી નદીના પૂર્વના વિસ્તારો નેપાળના છે.’ ઓલીએ કહ્યું કે સંઘીય સંસદ અને સરકાર દેશની આંતરરાષ્ટ્રીય સીમાઓ અંગે સ્પષ્ટ અને મક્કમ છે.
ઓલી રાજદ્વારી માધ્યમથી સરહદ વિવાદ ઉકેલશે
ઓલીએ કહ્યું કે 2017માં બંધારણના બીજા સંશોધન દ્વારા નેપાળે આંતરરાષ્ટ્રીય સરહદોને લઈને નવો નકશો અપ્નાવ્યો છે. તેમણે કહ્યું કે આનો ઉલ્લેખ તેના પરિશિષ્ટ 3માં કરવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય સીમાઓ અંગે આપણા દેશમાં અભૂતપૂર્વ સર્વસંમતિ સધાઈ છે. ઓલીએ કહ્યું કે બંને દેશોના વડા પ્રધાનોની બેઠક દરમિયાન રાજદ્વારી માધ્યમથી સરહદ વિવાદનો ઉકેલ લાવવા પર સહમતિ બની હતી. ઓલીએ કહ્યું કે ’નેપાળ-ભારત વિદેશ મંત્રી સ્તરના સંયુક્ત આયોગની સાતમી બેઠક 4 જાન્યુઆરીએ યોજાઈ હતી. આ દરમિયાન નેપાળ-ભારત સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચચર્િ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે નેપાળ-ભારત સરહદના બાકીના ભાગો પરના બાકી કામો જલ્દી પૂર્ણ કરવામાં આવે.
નેપાળે વર્ષ 2020માં નવો નકશો બહાર પાડ્યો હતો
હકીકતમાં, વર્ષ 2020માં, આંતરરાષ્ટ્રીય સરહદોને લઈને કાઠમંડુ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નકશા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ નકશામાં ત્રણ ભારતીય પ્રદેશો- લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખ નેપાળના ભાગ તરીકે દશર્વિવામાં આવ્યા છે. નેપાળના આ નકશાને તે સમયે ભારતે ફગાવી દીધો હતો. ઉપરાંત, ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે ’નેપાળના દાવા ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ પર આધારિત નથી. જો કે હવે આ વિવાદ ફરીથી વધુ ગરમાય તેવી શક્યતાઓ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech