દશેરાથી દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે. આજે સવારે 6 વાગ્યા સુધી દિલ્હીનો AQI 283 નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. CJIએ કહ્યું કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણના વધતા સ્તરને જોતા તેમણે મોર્નિંગ વોક બંધ કરી દીધી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે ડૉક્ટરે તેમને સવારે વોક કરવાની સલાહ આપી છે પરંતુ દિલ્હીમાં વાયુ પ્રદૂષણને જોતા ઘરની અંદર જ રહેવું વધુ સારું છે.
જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું હતું કે, તેમને ગઈકાલથી મોર્નિંગ વોક જવાનું બંધ કરી દીધું છે. તેઓ સવારે 4 વાગ્યાની આસપાસ વોકિંગ પર જતા હોય છે, પરંતુ વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધ્યા બાદ અત્યારે ચાલવા નથી જતાં કારણ કે શ્વાસ સંબંધી રોગોથી બચવા માટે ઘરની અંદર જ રહેવું વધુ સારું છે. જસ્ટિસ ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે આજે સવારે રાજધાનીના અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે. સમગ્ર દિલ્હી-એનસીઆર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું દેખાય છે. દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણીમાં છે. દિલ્હીનો સરેરાશ AQI 300 ની આસપાસ છે. ત્યારે આનંદ વિહાર વિસ્તારની હાલત સૌથી ખરાબ છે. આનંદ વિહારમાં AQY 400ને પાર કરી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech