પોરબંદરના રાણાવાવમાં સરકારી ગૌચરની જમીન ઉપર ઘણા લાંબા સમયથી થયેલ દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતુ અને એક કરોડ એંશી લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે રાણાવાવ ગામના સરકારી ગૌચરની જમીનમાં ખુંટી દેવાભાઇ અરજણભાઇ વગેરે ઉપરાંત વિજયભાઇ હરદાસભાઇ ઓડેદરા તથા દિલીપભાઇ માલદેભાઇ સેલાર દ્વારા ૨૩૦૦૦-૦૦ ચો.મી.માં અનઅધિકૃત દબાણ કરવામાં આવેલ હતુ.આ દબાણ દુર કરવા વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં તેને ગણકારવામાં આવી ન હતી.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની સુચનાથી રાણાવાવના મામલતદાર,પી.જી.વી.સી.એલ. ટીમ જે.સી.બી. લઈને દબાણ દુર કરવા પહોંચી હતી અને પોલીસનો બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.
પ્રતિ વિધાના બાર લાખ રૂપિયા લેખે કુલ ૧૫ વિઘાના રૂ.૧ કરોડ ૮૦ લાખ ની સરકારી ગૌચરની જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે. એટલું જ નહીં પરંતુ તંત્રના અધિકારીઓએ સુચના આપી છે કે,સ્વેચ્છાએ દબાણ દુર કરવામાં નહી આવે તો વધુ કડક પગલાં ભરવા પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech