રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે નામ જાહેર કરાયું છે. રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 28 લોકોના મોત થયા હતા. આ મોટી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરતા અનેક અધિકારીઓની બદલીઓ કરી હતી. આ ઘટના બાદ રાજ્ય સરકારે તત્કાલિન શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી હતી. તેમના સ્થાને IPS અધિકારી બ્રિજેશ કુમાર ઝાને રાજકોટના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.
કોણ છે બ્રિજેશ કુમાર ઝા
બ્રિજેશ કુમાર ઝાએ રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અગાઉ તેઓ અમદાવાદ શહેરમાં સ્પેશિયલ પોલીસ કમિશનર, સેક્ટર-2 તરીકે કાર્યરત હતા. બ્રિજેશ કુમાર ઝા ગુજરાત કેડરના 1999 બેચના IPS અધિકારી છે. બ્રિજેશ ઝાના ફેસબુક પેજ મુજબ તે મૂળ ઝારખંડના દેવઘરના છે. તેમણે પોતાનો અભ્યાસ દિલ્હીની હિન્દુ કોલેજમાંથી કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech