છત્તીસગઢના નકસલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં ડિસ્ટિ્રકટ રિઝર્વ ગાર્ડ નારાયણપુરના હેડ કોન્સ્ટેબલ બિરેન્દ્ર કુમાર સોરી (૩૬) શહીદ થયા હતા.
તેમણે કહ્યું કે નારાયણપુર જિલ્લામાંથી ડિસ્ટિ્રકટ રિઝર્વ ગાર્ડ અને બોર્ડર સિકયુરિટી ફોર્સની એક સંયુકત ટીમને અબુઝહમદ વિસ્તારના સોનપુર અને કોહકામેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોકલવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે ૧ વાગે યારે સુરક્ષા ટીમ આ વિસ્તારમાં હતી ત્યારે માઓવાદીઓએ ગોળીબાર શ કરી દીધો હતો. માઓવાદીઓના ગોળીબાર બાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ સમયગાળા દરમિયાન, સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ઘણી અથડામણો થઈ. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન ડીઆરજી નારાયણપુરના હેડ કોન્સ્ટેબલ બિરેન્દ્ર કુમાર સોરી નકસલવાદીઓ સાથે લડતા સમયે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓ સ્થળ પર જ શહીદ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શહીદ સૈનિક સોરીને ૨૦૧૦માં નારાયણપુર જિલ્લા દળમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી કરવામાં આવી હતી અને નકસલ અભિયાનમાં તેમના પરાક્રમી કાર્ય માટે ૨૦૧૮માં તેમને પ્રથમ હેડ કોન્સ્ટેબલના રેન્ક પર બઢતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે શહીદ સૈનિકના મૃતદેહને એન્કાઉન્ટર સ્થળથી લાવવામાં આવી રહ્યો છે. વિસ્તારમાં નકસલ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech