ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલ યોજાઈ હતી.
"ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મોકડ્રીલ આ પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે ૮.૦૦ થી ૦૮:૩૦ કલાક સુધી નાગરીકો દ્વારા સ્વયંભૂ અંધારપટ (બ્લેક આઉટ) કરવાનું આયોજન હતું. જેમાં રાત્રીના ૮ વાગતા સાયરન વાગતાની સાથે જ નાગરિકોએ ફટાફટ પોતાના ઘર સહિત દુકાનો અને આસપાસની લાઈટો બંધ કરી દીધી હતી. આટલું જ નહી, આ સમય દરમિયાન રસ્તા ઉપર પસાર થતા વાહનચાલકો દ્વારા પણ સુરક્ષિત રીતે વાહન સાઈડ ઉપર પાર્ક કરી લાઈટ બંધ કરી દઈ અંધારપટમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. સામાન્ય રીતે વ્યાપારથી ધમધમતા સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા શહેરે દેશ માટે સંપૂર્ણ સહકાર આપતા તમામ પ્રકારની લાઈટો બંધ રાખીને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી હતી.
નોંધનીય છે કે, દેશ સામે જ્યારે કોઈ ઇમર્જન્સી ઉભી થાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો પણ ખભેખભો મિલાવી તૈયાર છે, તેનો પરિચય આ અંધારપટ દ્વારા સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાના નાગરિકોએ આપ્યો હતો. જિલ્લા કલેકટર શ્રી કે.એસ.યાજ્ઞિકે આ સફળ બ્લેકઆઉટ માટે સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech