જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી 2019 માં ટીઆરએફ શરૂ કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર લશ્કર-એ-તૈયબાની સીધી સંડોવણી છુપાવવાનો હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ભારતીય ગુપ્તચર એજન્સીઓ અનુસાર, ટીઆરએફ ને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા તરફથી નાણાકીય અને લશ્કરી સહાય મળે છે.
૧૦ જુલાઈ ૨૦૧૭ ના રોજ, અનંતનાગમાં અમરનાથ યાત્રાળુઓને લઈ જતી બસ પર હુમલો થયો હતો, જેમાં ૮ યાત્રાળુઓના મોત થયા હતા. આ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ હતો. આ હુમલામાં પાકિસ્તાની આતંકવાદી અબુ ઇસ્માઇલની સંડોવણી બહાર આવી હતી.
નવેમ્બર 2022 માં, નાગરોટામાં સુરક્ષા દળોના કેમ્પ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 3 સૈનિકો શહીદ થયા હતા. ટીઆરએફએ જવાબદારી સ્વીકારી પરંતુ એનઆઈએ તપાસમાં હુમલાખોરો સીધા લશ્કર સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું.
2020 અને 2022ની વચ્ચે, સુરક્ષા દળોની અનેક ટુકડીઓ અને ચોકીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. ટીઆરએફએ આ હુમલાઓની જવાબદારી લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે બધા હુમલાખોરોને લશ્કરના પાકિસ્તાની હેન્ડલર્સ તરફથી સૂચનાઓ મળી રહી હતી.
પૂંછ જિલ્લાના સુરનકોટના જંગલોમાં થયેલા હુમલામાં 9 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ટીઆરએફ દ્વારા જવાબદારી લેવામાં આવી હતી પરંતુ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી લશ્કરના ભંડોળ અને શસ્ત્રો મળી આવ્યા હતા.
ગઈકાલે સૈન્ય ગણવેશ પહેરેલા આતંકવાદીઓ બૈસરન ખીણમાં આવ્યા અને પ્રવાસીઓને તેમના નામ અને ધર્મ વિશે પૂછ્યું અને તેમની છાતી પર ગોળીઓ વિંધી નાખી. આ હુમલામાં ટીઆરએફ એ દાવો કર્યો હતો કે તે જમ્મુ અને કાશ્મીરમાં વસ્તી વિષયક પરિવર્તન સામે પ્રતિક્રિયા હતી. ઘટના સ્થળેથી એમ4 અને એકે શ્રેણીની ગોળીઓ મળી આવી હતી, જે લશ્કરની ઓપરેશનલ શૈલી સાથે મેળ ખાય છે.
નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન એફએટીએફ (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ની ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે આતંકવાદી સંગઠનો સાથે સીધી સંડોવણી ટાળવા માંગે છે. આવી સ્થિતિમાં, લશ્કર જેવા પ્રતિબંધિત સંગઠનોએ નવા નામો સાથે નાના, નવા જૂથોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. ટીઆરએફ એ વ્યૂહરચનાનો એક ભાગ છે. ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ તેના અનેક અહેવાલોમાં ટીઆરએફ અને એલઈટી વચ્ચે ભંડોળ, તાલીમ અને કમાન્ડ અને નિયંત્રણ પ્રણાલીમાં સમાનતાઓ પર પ્રકાશ પાડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech