ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષજ્ઞ બોર્ડમાં હવે ધોરણ-12 સાયન્સની જેમ ધોરણ-10 અને ધો-12 સામાન્ય પ્રવાહમાં પણ બેસ્ટ ઓફ ટુ મુજબ પરિણામ સુધારવાની તક આપવાનો નિર્ણય લેવાયો છે. જે અનુસાર મુખ્ય પરીક્ષા બાદ પૂરક પરીક્ષામાં પણ તમામ વિષયની પરીક્ષા લેવાશે અને બંને પરીક્ષા પૈકી જેમાં વધુ ગુણ હશે તે માન્ય રખાશે. સામાન્ય પ્રવાહ માટે બેસ્ટ ઓફ મુજબ પરિણામમાં સુધારો કરી શકાશે ગત વર્ષે છેલ્લ ી પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહમાં બેસ્ટ ઓફ ટુનો અમલ કરાયો હતો
માર્ચ-2024ની પરીક્ષામાં ધોરણ12 સાયન્સમાં બેસ્ટ ઓફ ટુનો અમલ કરવામાં આવ્યા બાદ હવે આગામી પરીક્ષામાં ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પણ તેનો અમલ કરવાનું નક્કી કરાયું છે. આમ, હવે બોર્ડ દ્વારા વર્ષમાં બે વખત તમામ વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
માધ્યમિક અને ઉચ્ચતર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડદ્વારા અત્યાર સુધી ધોરણ-12 સાયન્સમાં વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી. જ્યારે ધોરણ-10માં બે વિષય અને ધોરણ12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાતી હતી. પરંતુ ગત પરીક્ષા એટલે કે માર્ચ-2024ની પરીક્ષાથી બોર્ડ દ્વારા તેમાં ફેરફાર કરાયો હતો. જે અનુસાર ધોરણ-12 સાયન્સમાં બેસ્ટ ઓફ ટુ મુજબ પરિણામ સુધારવાની તક આપવામાં આવી હતી. જેમાં ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પરીક્ષા બાદ પૂરક પરીક્ષામાં પણ તમામ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.
મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષા પૈકી વિદ્યાર્થીએ જેમાં વધુ ગુણ મેળવ્યા હતા
તે અનુસાર વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાયું હતું. જ્યારે ધોરણ-10માં 3 વિષય અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષાનું આયોજન કરાયું હતું.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સરકાર સમક્ષ ધોરણ-12 સાયન્સની જેમ ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ બેસ્ટ ઓફ ટુ મુજબ પરિણામ સુધારવાની તક મળે તે માટે આ બંને ધોરણમાં પણ મુખ્ય પરીક્ષા સાથે પૂરક પરીક્ષામાં પણ તમામ વિષયની પરીક્ષા લેવા માટેની દરખાસ્ત કરવામા આવી હતી, દરખાસ્તના અનુસંધાને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટેની જોગવાઈમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. જેના પગલે હવે ધોરણ12 સાયન્સની જેમ ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ બેસ્ટ ઓફ મુજબ પરિણામ સુધારવાની તક મળશે. આ માટે બોર્ડ દ્વારા મુખ્ય પરીક્ષા ઉપરાંત પૂરક પરીક્ષામાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે.
આ વખતે ફેબ્રુઆરીથી શરૂ થનારી પરીક્ષા બાદ પૂરક પરીક્ષામાં પણ તમામ વિષયોની પરીક્ષાનું આયોજન કરાશે. આમ, બોર્ડને આગામી પરીક્ષા વખત યોજવી પડશે. મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી પણ પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી જેમાં વધુ ગુણ હશે તે માન્ય રાખી પરિણામ તૈયાર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech