રાજકોટ તાલુકાના જીયાણા ગામની સીમમાં આવેલા કુવામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.જે અંગેની જાણ થતા તુરંત પોલીસને જાણ કરાઇ હતી. એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે તાકીદે અહીં પહોંચી બાળકના મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બે દિવસના આ બાળકને મૃત હાલતમાં અહીં કુવામાં ફેંક્યો કે પછી બાળકને કુવામાં ડુબાડી મારી નાખ્યો તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ તાલુકાના જીયાણા ગામની સીમમાં શૈલેષભાઇ ખોડાભાઇ લીંબાસીયાની વાડીમાં કામ કરનાર ખેતમજુરને કુવામાંથી બે દિવસની નવજાત બાળકની લાશ તરતી હોવાનું ધ્યાને આવતા તુરંત વાડીમાલિકને જાણ કરવામાં આવી હતી બાદમાં તેમણે સરપંચ જયસુખભાઇ મનસુખભાઇ મોટાણીને જાણ કરતા તેઓ હાલ દિલ્હી હોય તેના મોટાભાઇ કાળુભાઇએ આ બાબતે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.જેથી એરપોર્ટ પોલીસ મથકના પરાક્રમસિંહ સહિતનો સ્ટાફ તાકીદે અહીં પહોંચી ગયો હતો.બાદમાં બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
બનાવને લઇ એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.નવજાતના મોત બાદ તેને નિકાલ કરવા માટે કોઇ લાશ અહીં કુવામાં ફેંકી ગયા કે નવજાત બાળકને જીવત અવસ્થામાં કુવામાં ફેંકી દેવામાં આવ્યો તે અંગેની હકીકત જાણવા માટે એરપોર્ટ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.આ અંગે વધુ તપાસ એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એસ.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech