સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ડિન તથા વિવિધ અભ્યાસ સમિતિઓની નિમણૂક બાબતે અધ્યાપકો અને આચાર્યેામા કચવાટની લાગણી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે એટલું જ નહીં અમુક બાબતોમાં તો નિમણૂકો એટલી બધી વિવાદા પદ છે કે સમગ્ર મામલો કોર્ટમાં લઈ જવા માટેની પણ તૈયારીઓ શ થઈ ગઈ છે. જે મામલે કચવાટ અને રોષની લાગણી જોવા મળે છે તેની અમુક દાખલાપ વાતો કરીએ તો મોરબી કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડોકટર ગરમોરા અર્થશાક્ર વિષયના છે જે ફેકલ્ટીસ ઓફ હ્યુમિનિટિસ એન્ડ લાઈફ સાયન્સ વિધા શાખામાં આવે છે છતાં પણ તેમને કોમર્સના ડીન બનાવવામાં આવ્યા છે.
મીનાબેન કુંડલીયા કોલેજના પ્રિન્સિપલ ડોકટર નીલુબેન લાલચંદાણી એકાઉન્ટન્સી વિષયના છે છતાં પણ તેમને કોમર્સમાં અભ્યાસ સમિતિ મા કો ઓપ્ટ કરવામાં આવ્યા છે.
મીનાબેન કુંડલીયા કોલેજના ડો રાજેશ્રીબેન નથવાણી કે જે કોમર્સના છે છતાં પણ તેમને એકાઉન્ટન્સી ની અભ્યાસ સમિતિમાં રેગ્યુલર એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી અર્થશાક્ર ભવનના અધ્યક્ષ ડોકટર એન આર શાહની સિનિયોરીટી ધ્યાનમાં લેવામાં આવી નથી.
જસાણી કોલેજના સિનિયર આચાર્ય ડોકટર ફાલ્ગુનીબેન ને કોમર્સ અથવા એકાઉન્ટન્સી કોઈપણ અભ્યાસ સમિતિમાં સમાવવામાં આવ્યા નથી.
પી ડી માલવીયા કોલેજ ઓફ કોમર્સના ડોકટર મનોજ વી દવે ને અભ્યાસ સમિતિમાં સમાવવામાં આવ્યા જેમની નિવૃત્તિ નજીક છે. કોમ્પ્યુટર ફેકલ્ટીના ડીનના મામલે સમગ્ર બાબત કોર્ટમાં લઈ જવાય તેવી પણ અંદરખાને તૈયારીઓ ચાલતી હોવાનું બહાર આવે છે નજીકના ભવિષ્યમાં આ સંદર્ભે મોટા કડાકા ધડાકા થવાની શકયતા જોવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech