ગુજરાત સરકારના મહેસુલ વિભાગે સૌરાષ્ટ્રના આઠ સહિત રાજ્યના ૨૦ મામલતદારોની બદલી કરી છે . છેલ્લા ઘણા સમયી પોસ્ટિંગની રાહ જોઈને બેઠેલા ચાર મામલતદારોને પણ સરકારે ડિટેઈલ પોસ્ટિંગ ફાળવી દીધું છે.
બદલીના હુકમમાં સૌરાષ્ટ્રના જે આઠ મામલતદારોની બદલી કરવામાં આવી છે તેમાં અમરેલીના એચ.એન.પરમાર ભાવનગરના રામભાઈ સુવા બોટાદના રાજેશકુમાર કાનુડાવાલા ગીર સોમના જિલ્લાના રાજેશ પરમાર રાજકોટના એમ. ડી. દવે બોટાદના જયંતીલાલ વૈષ્ણવ અને જાફરાબાદ ના એ.એન.મહેતાનો સમાવેશ ાય છે.
ફાલ્ગુની સોની, કુમારી હેતલબા ચાવડા, કુમારી મિતલબેન પટેલ અને મહેન્દ્ર જે ચાવડા પોસ્ટિંગની રાહમાં હતા તેમાંી મહેન્દ્ર ચાવડાને જામનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. અન્ય ત્રણને ગુજરાતમાં પોસ્ટિંગ અપાયું છે.
બદલીના આ હુકમમાં સૌરાષ્ટ્રમાં જેને પોસ્ટિંગ અપાયું છે તેમાં અમરેલીના જે.એન.મહેતાને ઓખા મંડળમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદના અશોક ગોહિલને જુનાગઢ જિલ્લાના વંલીમાં, અમરેલીના એચ. એન. પરમારને ગીર સોમના જિલ્લાના સુત્રાપાડામાં, ભાવનગરના રામભાઈ સુવાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં, છોટા ઉદેપુરના નિલેશકુમાર પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના ાનગઢમાં, ગીર સોમના જિલ્લાના રાજેશ પરમારને જુનાગઢ જિલ્લાના માંગરોળમાં અને રાજકોટના એમ.ડી.દવેને જસદણ ખાતે પોસ્ટિંગ અપાયું છે.
રાજકોટના સામજીભાઈ ગીણોયાને પ્રમોશન આપીને નાયબ મામલતદારમાંી મામલતદાર બનાવાયા છે અને રાજકોટ ખાતે જ પી.આર.ઓ ની જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરાના પ્રવીણ વસાવાને પણ પ્રમોશન આપીને દાહોદ જિલ્લાના સંજેલી મૂકવામાં આવ્યા છે.
નાયબ મામલતદારોના પ્રમોશનના મામલે હાઇકોર્ટમાં કેસ ચાલુ છે અને તેનો જે ચુકાદો આવે તેને આધીન રહીને આ બંને પ્રમોશન આપવામાં આવ્યા છે. જુલાઈ મહિનાની પહેલી તારીખે પણ સરકારે મામલતદારોના બદલીના હુકમ કર્યા હતા. તેમાં જામનગરના બી.ટી.સવસાણીની બદલી રદ કરવામાં આવી છે અને તેને મૂળ જગ્યાએ યાવત રાખવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech