રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર (સિવિલ) સંવર્ગના કલાસ વન ઓફિસર એસ.ડી.મહાલાની બદલી સુરત ખાતે શહેરી વિકાસ સતા મંડળમાં કરવામાં આવી છે.રાજકોટમાં મહાલાની ખાલી પડેલી જગ્યા પર અમરેલીના માર્ગ મકાન વિભાગના પંચાયતના કાર્યપાલક ઇજનેર પરાગ પી. પરમારને મૂકવામાં આવ્યા છે. તેની બદલી પણ જાહેર હિતમાં કરવામાં આવી છે.દેવભૂમિ દ્રારકા જિલ્લાના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર યુ.બી.ચૌધરીની બદલી કરવામાં આવી છે અને તેને સ્ટે
ચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતા મંડળ નર્મદા જિલ્લામાં પ્રતિનિયુકિતના ધોરણે મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભાવનગરના શહેરી વિકાસ સતા મંડળના કાર્યપાલક ઇજનેર પી. ટી. બાગુલને જામનગર ખાતે પંચાયત વિભાગમાં માર્ગ મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે મૂકવામાં આવ્યા છે.ચૌધરીની બદલીના કારણે દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ખાલી પડેલી જગ્યા પર પી.આઇ.યુ હેલ્થ વિભાગના રાજપીપળા ખાતે પર જ બજાવતા એમ.બી.રાઠોડને મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમદાવાદ ખાતે રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ વિભાગમાં ફરજ બજાવતા શિરીષ અજય કુમાર સિંહને વડોદરા, ગાંધીનગરના રશીકા કપિલ શ્રીવાસ્તવને ગાંધીનગરમાં જ, કૃણાલ મનીષ પટેલને પણ ગાંધીનગરમાં જ બદલી કરીને મૂકવામાં આવ્યા છે. વડોદરા ખાતે ગેરીમાં રોડ રિસર્ચ ડિવિઝનમાં ફરજ બજાવતા વંદનાબેન ચૌધરીને પ્રતિનિયુકિતના ધોરણે સુરતમાં ગેરીમાં મૂકવામાં આવ્યા છે. સુરત ખાતે ગેરીમાં ફરજ બજાવતા વિપુલ કેદારીયાને ગાંધીનગર ખાતે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મૂકવામાં આવ્યા છે. યારે વડોદરા ખાતે રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ વિભાગમાં ફરજ બજાવતા ડી.આર.મિક્રીને અમદાવાદ ખાતે રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ વિભાગમાં મૂકવામાં આવ્યા છે.
શહેરી વિકાસ સત્તા મંડળો, પંચાયતો સહિતના જુદા જુદા વિભાગોના કાર્યપાલક ઇજનેરોની બદલીના આ લીથામાં માર્ગ મકાન વિભાગમાં સંયુકત સચિવ અંજના રાઠોડે એકમાત્ર વિપુલ કેદારીયાની સવવિનંતીથી બદલી કરી છે. બાકીની મોટાભાગની બદલીઓ જાહેર હિતમાં કરવામાં આવી છે. સવવિનંતી થી જે બદલી કરવામાં આવી છે તે અધિકારીને બદલી ભથ્થું મળશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech