ઘરમાં દાયણ પાસે થતી પ્રસુતિના કારણે બાળ મૃત્યુ દર અને તેના રોગના પ્રમાણમાં વધારો થતો હોવા બાબતે લાંબા સમયગાળા સુધી જનજાગૃતિ ફેલાવ્યા પછી આખરે તેના સારા પરિણામો આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ ચાલુ વર્ષમાં 16,682 પ્રસુતિ કરવામાં આવી છે. તેમાંથી 16,664 પ્રસુતિ દવાખાનામાં થઈ છે. એટલે કે 99.89 ટકા પ્રસુતિ દવાખાનાઓમાં થઈ છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આજે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે આરોગ્ય દિવસની ઉજવણી રાખવામાં આવી છે. 'સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય' થીમ નીચે આ ઉજવણી કરાશે અને તેમાં બાળ મૃત્યુ દર પ્રતિ 1000 એ સિંગલ ડિઝિટમાં લઈ જવાનું આયોજન ગોઠવાઈ રહ્યું છે, આ માટે બાળક એક વર્ષનું થાય તે પહેલા સંપૂર્ણ રસીકરણ આવશ્યક છે અને રાજકોટ જિલ્લામાં આ મુજબ 23,872 બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરાયું છે. બાળ મૃત્યુદર અને નવજાત શિશુ મૃત્યુદર ઘટે તે માટે થ્રી ટાયર એપ્રોચ અપનાવવામાં આવ્યો છે.
આજથી રાજકોટ જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અર્બન હેલ્થ સેન્ટર આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર અને તેમના સેજાના ગામોમાં હેલ્થ ચેક અપ યોજાશે. જેમાં ઝીરીયાસ્ટ્રીક પેશન્ટ અને હાઈરીસક સગર્ભાઓની ખાસ તપાસ કરવામાં આવશે. માતા અને નવજાત મૃત્યુને અટકાવવા અને મહિલાઓની લાંબાગાળાની સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાથમિકતા આપવા માટે જુદા જુદા આયોજનો કરવામાં આવશે. આ માટે ચેપી રોગ બિન સંચારી રોગ માતૃત્વ અને બાળ આરોગ્ય જેવી બાબતો પર કામ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech