એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને શિક્ષકે મળીને બનાવ્યું ખોરાક ખાવાલાયક છે કે નહી તેની ચકાસણી કરી શકે તેવું ખાસ ઉપકરણ
ઘરેથી બહાર બજારમાં જતા આપણી નજર ચટપટા અને મસાલેદાર ખોરાક પર પડી જાય છે અને તેમાં પણ સુપર- ક્રન્ચી સમોસા, આલુ પરાઠા કે સેન્ડવીચ જેવું કંઈક દેખાયા તો મન ચોક્કસ લલચાઈ શકે છે. પણ જો તમારે ખાતરી કરવી હોય કે બટાટાના સ્ટફિંગથી ભારેલો આ ખોરાક ખાવાલાયક છે કે નહી તો ?, કેમ કે ઘણીવાર વેપારીઓ અગાઉ તૈયાર કરેલા આથવા આગળ દિવસે વધી ગયેલા બટાટાના મસાલાનો ઉપયોગ સમોસા અને આલૂ પરોઠામાં કરી નાખતા હોય છે, તો આ સ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ વિકસાવેલ એક ઉપકરણ મદદરૂપ સાબિત થઇ શકે છે.
ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને વલ્લભ વિદ્યાનગરના એક શિક્ષકે એક ઉપકરણ વિકસાવ્યું છે જે સમોસા અને આલૂ પરોઠાની તાજગીને ટ્રૅક કરવામાં મદદ કરશે. દીપ સિંહ અને ખુશવંત રાજપુરોહિત દ્વારા નોડ એમ.સી.યુ. અને બ્લીંક એપનો ઉપયોગ કરીને 'એલઓટી બેઇઝ્ડ ફૂડ ટ્રેકિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમ' વિકસાવવામાં આવી છે. તેમણે ગુજરાતની સૌથી જૂની ઈજનેરી કોલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર મયુર સેવકના માર્ગદર્શન હેઠળ આ શોધ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, “વાસી ખોરાક ખાવાથી, ખાસ કરીને બટાટા ભરેલા ખોરાકના કારણે ઘણીવાર ઉલ્ટી, ઝાડા, શરીર પર ફોલ્લીઓ અને ગંભીર ફૂડ પોઈઝનીંગ થાય છે. આપણે ઘણીવાર લગ્ન સમારોહ દરમિયાન મોટા પાયે ફૂડ પોઈઝનીંગ કિસ્સાઓ જોઈએ છીએ. તેથી, ખાદ્ય ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તાની ચિંતા માત્ર કસ્ટમર અને પ્રોડ્યુસર તેમજ નિયમનકારી સંસ્થાઓ સુધી સીમિત નથી,” તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં, બટાટાથી ભરેલા ખોરાક ખાવા યોગ્ય છે કે નહીં તે જાણવાનો એકમાત્ર રસ્તો એ છે કે તેને પરીક્ષણ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવા. તેથી, અમે આ ઉપકરણ વિકસાવવાનું વિચાર્યું જે બધા માટે ઉપયોગી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, "અમે તેને કેસરોલ અથવા નાની ભઠ્ઠી માટે નાના ઉપકરણમાં પણ ફેરવી શકીએ છીએ, જેનું પેપર ઇન્ટરનેશનલ રિસર્ચ જર્નલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
ખોરાકના ગેસ, તાપમાન અને ભેજનું નિરીક્ષણ કરે છે આ ઉપકરણ
વિદ્યાથીઓ અને શિક્ષક દ્વારા વિકસાવાયેલું આ ઉપકરણ સેન્સરનો ઉપયોગ કરીને ખોરાકમાં ગેસ, તાપમાન અને ભેજનું સ્તર મોનિટર કરે છે. તાપમાન અને ગેસનું સ્તર એ બે મહત્વપૂર્ણ પરિબળો છે જે ખોરાકની સલામતી અને ગુણવત્તાને અસર કરે છે. તેમણે હાલમાં આ ખાદ્ય પદાર્થોમાં ગેસ ઉત્સર્જનને શોધવા માટે થ્રેશોલ્ડ મૂલ્ય તરીકે ૨૫૦-૩૦૦ પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન) નો ઉપયોગ કર્યો છે. સિસ્ટમ કુદરતી રીતે બનતા વાયુઓને શોધી કાઢે છે જેમ કે ખોરાક વસી થાય તો તેમાં મિથેનનું પ્રમાણ વધી જાય છે. સેન્સર ખોરાકમાં બગાડના કોઈપણ દૃશ્યમાન ચિહ્નો દેખાય તે પહેલાં જ ગેસ ઉત્સર્જન, તાપમાન અને ભેજનું સ્તર શોધી કાઢે છે. ભવિષ્યમાં, સેન્સરનો ઉપયોગ ફળો સહિત વિવિધ ખાદ્ય ઉત્પાદનોના પરીક્ષણ માટે થઈ શકે છે. જેમાં એક અલગ સેટ સેન્સર્સનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રોટોટાઇપ લગભગ રૂ. ૨૦૦૦ના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે, હાલમાં ટીમ ઓછા ખર્ચે તૈયાર થતા મોડલ પર કામ કરી રહી છે જેનો ઉપયોગ ઘરે, રેસ્ટોરાં, ખાણીપીણીના સ્ટોલ અથવા ફૂડ અને હેલ્થ ઓથોરિટીમાં થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech